|
Getting your Trinity Audio player ready...
|
આંખની એક બીમારી ‘કન્જંક્ટિવાઈટિસ’ માટે ભારતમાં ઘણી માન્યતાઓ છે. તેને ‘પિન્ક આઈ’ અથવા સરળ શબ્દોમાં ‘આંખ આવવી’ પણ કહેવાય છે. આંખની આ સંક્રામક બીમારી એકથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. તેના ઘણા કારણો છે. કોઈની લાલ આંખો જોવાથી નથી ફેલાતી ‘કન્જંક્ટિવાઈટિસ’ બીમારી, આ આર્ટિકલ દ્વારા ર્ડા સુરભી કાપડિયા જે વડોદરા ના એક નામાંકિત આંખ ના નિષ્ણાંત ડૉક્ટર છે આપણને કન્જંક્ટિવાઈટિસ વિષે ની તમામ માહિતી વિસ્તૃત રીતે આપશે.
શ્વસન તંત્ર અથવા નાક-કાન, ગળાંમાં કોઈ પ્રકારનું સંક્રમણ થવા પર કન્જંક્ટિવાઈટિસ ઈન્ફેક્શન થાય છે. તેની શરૂઆત એક આંખથી થાય છે અને ઝડપથી તે બીજી આંખમાં ફેલાય છે. સામાન્ય રીતે તે શિયાળામાં અને ચોમાસાંમાં વધારે થાય છે. કન્જંક્ટિવાઈટિસને કારણે આંખો લાલ થઈ જાય છે. આંખમાંથી પ્રવાહી નીકળે છે અને ખંજવાળ સહિતની ઘણી સમસ્યા થાય છે.
શું હોય છે કન્જંક્ટિવાઈટિસ અને તેના કયા લક્ષણો છે? તેનાથી બચવા માટે શું કરવું જોઈએ આવો જાણીએ….
આંખ ૫૨ એક આવરણ બની જવું, એ પાંપણના અંદરના ભાગ અને આંખના સફેદ ભાગને કવર કરે છે. આ આવરણને કન્જેક્ટિવાઇટિસ કહેવાય છે.
આ આવરણમાં ઇન્ફેક્શન કે એલર્જી થવા પર સોજો આવે છે એને કન્જેક્ટિવાઇટિસ અથવા ‘આઇ ફ્લૂ’ના નામે ઓળખાય છે. આવી પરિસ્થિતિમાં આંખમાંથી ચીકણો પદાર્થ, ખંજવાળ અને લાલાશ જેવી સમસ્યા થાય છે.
કોઈની આંખોમાં જોવાથી આ બીમારી થાય છે એ માત્ર માન્યતા છે.
જો આપ પણ ઉપર જણાવ્યા માંથી કોઈ પણ પ્રકારના લક્ષણો નો અનુભવ કરતા હોવ તો, તમારા નજીક ના આંખના સ્પેશ્યલિસ્ટ કે આંખ ના ડૉક્ટર ની અચૂક મુલાકાત લો. ડૉ સુરભી કાપડિયા જે વડોદરા ના અને મધ્ય ગુજરાત ના એક જાણીતા આંખના ડૉક્ટર છે એ વધુ માં જણાવે છે કે કન્જેક્ટિવાઇટિસ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે.
ર્ડા સુરભી કાપડિયા વડોદરા ના એક નામાંકિત આંખના ડૉક્ટર છે જેમને 15000 થી પણ વધુ મોતિયાના ઓપેરશન કરેલ છે. ડૉ સુરભી કાપડિયા ઓપ્થેલ્મોલોજિસ્ટ અને ઓક્યુલોપેલિસ્ટિક સર્જન છે. ર્ડા સુરભી કાપડિયા વડોદરા માં આદિકયુરા હોસ્પિટલ માં તો મળે જ છે પણ તદુપરાંત તે તેમની સેવાઓ આદિકયુર સુપરસ્પેશ્યલિટી ક્લિનિક ગોધરા , દાહોદ અને આણંદ ખાતે પણ આપે છે .
આંખ ને લગતી વિવિધ બીમારીઓ અને તેની સારવાર ની વધુ માહિતી માટે અમારા હેલ્થ બ્લોગ સેકશન જરૂર થી વાંચો